અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બાલકૃષ્ણ દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો અદ્દભૂત સંયોગ છે. અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. તેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન-દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું. પછીથી તે અમદાવાદ ને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.